Skip to content
Play
Extracting media streams...
Tip
⚡ Direct Stream Active • Switch to Framed only if preferred • If video or audio lags, change quality format • Shortcuts: Space / K = Play/Pause, ← / → = 10s Seek, M = Mute • Adjust buffer in Player Settings ⚙️ ⚡ Direct Stream Active • Switch to Framed only if preferred • If video or audio lags, change quality format • Shortcuts: Space / K = Play/Pause, ← / → = 10s Seek, M = Mute • Adjust buffer in Player Settings ⚙️

અક્ષરધામ એટેકને આજે 20 વર્ષ થયા, જાણો શું બની હતી કંપાવનારી ઘટના

ગાંધીનગરના અક્ષરધામ મંદિર પરના હુમલાને આજે 20 વરસ પૂરા થયા છે જે હુમલાને કારણે ગુજરાત જ નહીં, સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો હતો.

તા. 24 સપ્ટેમ્બર, 2002નો એ દિવસ, મુલાકાતીઓ તથા શ્રદ્ધાળુઓ અક્ષરધામ મંદિરની મુલાકાત લઈ રહ્યા હતા. એવામાં સૈન્ય Uniformમાં બે શખ્સ મંદિર પરિસરમાં દાખલ થયા અને એકે-56 રાઇફલોમાંથી અંધાધૂંધ ગોળીબાર કરવા લાગ્યા, આ સિવાય હેન્ડ ગ્રૅનેડ પણ ફેંક્યા.

શરૂઆતમાં ગુજરાત પોલીસે સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેઓ પહોંચી ન વળતા NSGનીમદદ માગવાનો નિર્ણય લેવાયો.

બ્લૅકકેટ કમાન્ડોની એક વિશેષ ટુકડી એ જ દિવસે સાંજે પહોંચી ગઈ અને મોરચો સંભાળી લીધો.

તેમણે આખી રાત અભિયાન હાથ ધર્યું અને બંને હુમલાખોરોનાં મૃત્યુ સાથે અભિયાન સમાપ્ત થયું હતું..

આખી રાત એનએસજી તથા બંને હુમલાખોરો વચ્ચે જે અથડામણ ચાલી, જે પછી બંનેનાં મૃત્યુ થઈ ગયાં. તેમાં 30થી વધુ લોકોનાં મૃત્યુ થયાં તથા 80થી વધુ લોકો ઘાયલ થઈ ગયા હતા અને મૃતકોમાં ગુજરાત પોલીસના જવાન પણ સામેલ હતા...

એ પછી પોલીસ દ્વારા દાવો કરવામાં આવ્યો કે હુમલા પાછળ પાકિસ્તાનના ઉગ્રવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હતો અને મૃતક તેની સાથે જોડાયેલા હતા. મૃતકોને મદદ કરવા તથા કાવતરું ઘડવાના આરોપમાં છ શખ્સની ધરપકડ કરવામાં આવી હતી, તેમની સામે કાયદાકીય કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી.

જોકે, સુપ્રીમ કોર્ટે તમામ છને નિર્દોષ છોડી મૂક્યા હતા અને ગુજરાત પોલીસની કામગીરી પર ગંભીર સવાલ ઊભા કર્યા હતા.

પણ આ હુમલાનું સત્ય આજે પણ જાણી શકાયું નથી.

Related videos

સોમનાથમાં યાત્રિકો સાથે ઓનલાઈન છેતરપિંડી, જાણો...
00:54

સોમનાથમાં યાત્રિકો સાથે ઓનલાઈન છેતરપિંડી, જાણો...

Sandesh

3y ago
દિવાળી- બેસતા વર્ષ વચ્ચે એક વધારાનો દિવસ શા માટ...
01:59

દિવાળી- બેસતા વર્ષ વચ્ચે એક વધારાનો દિવસ શા માટ...

Sandesh

3y ago
સોમનાથમાં યાત્રિકો સાથે ઓનલાઈન છેતરપિંડી, જાણો...
00:54

સોમનાથમાં યાત્રિકો સાથે ઓનલાઈન છેતરપિંડી, જાણો...

Sandesh

3y ago
ગુજરાત માટે ભાજપના પટારામાં શું-શું હશે? BJP આજ...
01:32

ગુજરાત માટે ભાજપના પટારામાં શું-શું હશે? BJP આજ...

Sandesh

3y ago
સુરતમાં દિવાળીના તહેવારમાં કુલ 53 વિસ્તારોમાં આ...
00:39

સુરતમાં દિવાળીના તહેવારમાં કુલ 53 વિસ્તારોમાં આ...

Sandesh

3y ago
મોરબીમાં લવજેહાદની ઘટના, આસિફે અશોક બની યુવતી પ...
00:42

મોરબીમાં લવજેહાદની ઘટના, આસિફે અશોક બની યુવતી પ...

Sandesh

3y ago
આજથી ઇતિહાસ બની જશે મુંબઇનો 150 વર્ષ જુનો  Carn...
03:14

આજથી ઇતિહાસ બની જશે મુંબઇનો 150 વર્ષ જુનો Carn...

Sandesh

3y ago
થરાદમા મુલુપુર ગામ પાસે ભારતમાલા રોડ પર બની ઘટના
01:01

થરાદમા મુલુપુર ગામ પાસે ભારતમાલા રોડ પર બની ઘટના

Sandesh

4y ago
અમદાવાદના પ્રગતિનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની
00:46

અમદાવાદના પ્રગતિનગરમાં હિટ એન્ડ રનની ઘટના બની

Sandesh

3y ago
પલસાણાના વાંકાનેડા ગામમાં ગોઝારી ઘટના બની
01:28

પલસાણાના વાંકાનેડા ગામમાં ગોઝારી ઘટના બની

Sandesh

3y ago
તુનિષા શર્મા પ્રેગનન્ટ હતી? પોસ્ટમોર્ટમ રિપોર્ટ...
00:57

તુનિષા શર્મા પ્રેગનન્ટ હતી? પોસ્ટમોર્ટમ રિપોર્ટ...

Sandesh

3y ago
નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં એક અન...
00:24

નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં એક અન...

Sandesh

3y ago